ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની...
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી અપનાવી ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત શિક્ષક અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ...
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી અપનાવી ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત શિક્ષક અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ...
જાખોરા ગામના શીવાભાઈ પટેલ લાલ ચંદન, કઠોળ, શાકભાજીની સાથે અન્ય પાકોનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યાં છે...
હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી. માત્ર ગાયનું છાણ, લીમડા અને આકડાના અર્કનો ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી રહ્યો છું : શીવાભાઈ પટેલ




Comments
Post a Comment